24 જુલાઈ, 2018

આ તે કેવી અંધશ્રધ્ધા




       આ ફોટામાં  દેખાતી  રોડ પર મુકવામાં આવેલ પાણીની સંખ્યાબંઘ બોટલો અને પાણીના પાઉચ ના ઢગલા જોઇને તમને એવું લાગતું હશે કે કદાચ અહીથી કોઇ પદયાત્રા કે રેલીમાં જતા લોકો માટે પાણીની વ્યવસ્થા કરી હશે.પણ ના તમે અને હું જે વિચારતાં હોઇએ એ તદ્દન ખોટુંં છે.

     હકિકતમાં આ જગ્યા ચાણસ્માથી બેચરાજી જવાના રોડ પર વડાવલીથી આગળ મણીપુર પાસેની છે . અહીં રોડ પર ઘણાં બધાં ઝાડ આવેલાં છે જેમાનાં એક ઝાડની નીચે તમને સંખ્યાબંઘ  પાણીની બોટલો અને પાણીના પાઉચ જોવા મળશે.

      વાત જાણે એમ છે કે અહીં આ જગ્યા પર આશરે ત્રણેક વર્ષ પહેલાં ગામ લોકોના કહેવા મુજબ એક મોટો અક્સ્માત થયો હતો. જેમાં ઘણાં બધા લોકોને નાની-મોટી ઈજા થવાં પામી હતી, પણ સાથે-સાથે આ અકસ્માત
બે - ત્રણ બાળકોનાં મોત થયાં હતાંં. જેઓ મરતાં પહેલાં પાણી- પાણી કરતાં હતાં. સ્થાનીક લોકોના કહેવા મુજબ આ બાળકો અવગતીયા જીવ થઇ ફરે છે . માટે આ અવગતિયા જીવની મુક્તિ માટે લોકો અહીં લોકો પાણીની બોટલો કે પાણીના પાઉચ મૂકે છે. જેમ જેમ આ વાત લોકોમાં ફેલાતી ગઇ તેમ તેમ લોકો વધુને વધુ પાણીની બોટલો કે પાણીના પાઉચ મૂકી જાય છે. ધીમે ધીમે રોડની સાઇડ પાણીની બોટલો અને પાણીના પાઉચથી ભરાઇ ગયું છે.
 

     આ જોઇને એવું થાય છે કે આ તે કેવી અંધશ્રધ્ધા ..... એક બાજુ ઘણાં એવાં વિસ્તાર છે કે ત્યાં લોકો પાણીના એક એક ટીંપા માટે વલખાં મારે છે અને આ બાજુ પાણીનો આટલો બધો બગાડ !
દિવસે દિવસે વરસાદ ઓછો થતો જાય છે અને એક બાજુ પાણીનો આટલો બધો બગાડ !
       કેમ કેમ અને કેમ.........