20 જુલાઈ, 2018

' મેં ધારક કો 10\20\50\100\200\500\2000 રૂપયે અદા કરને કા વચન દેતા હૂં ' આવું શા માટે કહેવામાં આવે છે ?


     આજના સમાચારપત્રમાં વાંચવા મળ્યું કે ભારતીય રિઝર્વ બેંક ધ્વારા રૂપિયા ૧૦૦ ( સો )ની નવી ચલણી નોટ પર પાટણની રાણકી વાવનું ચિત્ર મુકવામાં આવશે. પણ મિત્રો આપણા ભારત દેશની ચલણી નોટો પર એવી ઘણી વિગતો છે કે જેનાથી કદાચ આપણે અજાણ છીએ. કોઇ વ્યક્તિને પુછીએ કે કે ચલણી નોટો પર કેટલી ભાષા જે તે નોટનું મુલ્ય લખેલું હોય છે ? કદાચ બહું ઓછા વ્યક્તિ પાસેથી આનો જવાબ મળે છે. આવી જ એક વાત છે કે નોટ પર આવું લખેલું જોવા મળે છે   ' મેં ધારક કો 10\20\50\100\200\500\2000 રૂપયે અદા કરને કા વચન દેતા હૂં ' ....... આ વાક્ય કેમ લખવામાં આવે છે. જેની ખબર ખુબ જ ઓછા લોકોને હોય છે.

      કેમ આવી પ્રતિજ્ઞા લખવામાં આવે છે આ વાત જાણતાં પહેલાં ભારતીય રિઝર્વ બેંક વિશે થોડી માહિતી જાણીએ .ભારતીય કેંદ્રિય  બેંક એ જ ભારતીય રિઝર્વ બેંક  જેને આપણે RBI  કહીએ છીએ. મિત્રો તમને જાણીને નવાઇ લાગશે કે આ ભારતીય રિઝર્વ બેંક ૧ (એક) રૂપિયા સિવાયની તમામ મૂલ્યવર્ગની નોટોનું પ્રિંન્ટિંગ કરે છે. હવે એવો વિચાર આવશે કે એક રૂપિયા સિવાયની ? તો એક રૂપિયાની નોટનું શું ? તો આ એક રુપિયાની નોટ પર ભારતનાં નાણાં સચિવનાં હસ્તાક્ષર હોય છે જ્યારે બાકીની તમામ નોટો પર ભારતીય રિઝર્વ બેંકના ગર્વનરનાં હસ્તાક્ષર હોય છે.

      ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના  1 એપ્રિલ,1935 નાં રોજ થઇ . આ પહેલાં ચલણી નોટોનાં મુદ્રણની જવાબદારી સરકાર પર હતી. ભારતીય રિઝર્વ બેંકની મુખ્ય ઓફિસ મુંબઇ ખાતે આવેલી છે.ભારતીય રિઝર્વ બેંકને અધિનિયમન કલમ 22 મુજબ નોટ જાહેર કરવાનો અધિકાર આપવામાં આવ્યો.

    ભારતમાં નોટોની છાપણીનું કામ ન્યુનતમ આરક્ષણ પ્રણાલીને આધારે કરવામાં આવ્યું છે. આ પ્રણાલી ભારતમાં 1957થી લાગુ પાડવામાં આવી જેમાં ભારતીય રિઝર્વ બેંક ઓછામાં ઓછા 200 કરોડ રૂપિયાની મૂલ્ય સંપતિ રાખવી જરૂરી છે જેમાં 115 કરોડનું સોનું અને બાકી 85 કરોડ વિદેશી સંપતિ રાખવી પડે છે. આટલી સંપતિ રાખ્યા બાદ ભારતીય રિઝર્વ બેંક દેશની જરુરિયાત મુજબ નોટો છાપી શકે છે.

      આ વાત તો થઇ ભારતીય રિઝર્વ બેંકની અને તેનાં કામની પણ ચલણી નોટો પર  ' મેં ધારક કો 10\20\50\100\200\500\2000 રૂપયે અદા કરને કા વચન દેતા હૂં ' આવું શા માટે કહેવામાં આવે છે ? એ જોઇએ ..
 
       દરેક ચલણી નોટ પર ' મેં ધારક કો 10\20\50\100\200\500\2000 રૂપયે અદા કરને કા વચન દેતા હૂં ' આવું લખેલું હોય છે . આ વાક્ય એટલા માટે પ્રિંન્ટ કરવામાં આવે છે કે તેટલા રૂપિયાનું સોનું  તે પોતાની પાસે રિઝર્વ રાખે છે. ધારો કે જો તમારી પાસે 100 રૂપિયાની નોટ છે તો રિઝર્વ બેંક તમારા 100 રૂપીયાનું સોનુ રિઝર્વ માં  મુકે છે . આ વિશ્વાસ અપાવવા માટે નોટ પર આવી પ્રતિજ્ઞા લખવામાં આવે છે.
 
   RBI 200 કરોડની આ સંપતિ એટલા માટે રાખે છે કે  બેંકના ગર્વનર  ' મેં ધારક કો 10 \20 \50 \100 \ 200\500\2000 રૂપયે અદા કરને કા વચન દેતા હૂં '  આ પ્રતિજ્ઞા નિભાવી શકે. જો કોઇ વ્યક્તિ આવી નોટ લેવાની ના પાડે છે તો તેનો અર્થ એ થાય છે કે તે RBI ના ગર્વનર એટલે કે સરકારી પ્રતિનિધિની આજ્ઞાનું પાલન નથી કરી રહ્યો જેના માટે તેનાં પર કાયદેસરની કાર્યવાહી સરકાર કરી પણ શકે છે.  મિત્રો આપ સમજી ગયા હશો કે આપણા ચલણી નોટો પર આવી પ્રતિજ્ઞા કેમ લખવામાં આવે છે .