પ્રેમ અને વિશ્વાસ
"આ દુનિયામાં પ્રેમ અને વિશ્વાસ એ બે એવા છોડ છે જે ક્યારેય કરમાતા નથી અને જો એક વાર કરમાઈ ગયા તો ફરી ક્યારેય ફરી ઉગતા નથી"
પ્રેમ એટલે "હું" નહીં, પ્રેમ એટલે "તું" પણ નહીં....પણ પ્રેમ એટલે "હું" થી "તું" સુધી પહોંચવાનો રસ્તો છે
આજે જોઈએ છીએ કે તે દુનિયામાં સાચા પ્રેમનું કોઈ અસ્તિત્વ
અત્યારે પ્રેમ Use ND throw જેવો થઈ ગયો છે...
કોઇ તમને એના જીવ કરતાં પણ વધારે પ્રેમ@કરતો હોય
એના પોતાના કરતાં પણ તમારા પર વિશ્વાસ રાખતો હોય તો એ
વિશ્વાસ તૂટે ના એ જોવું ખૂબ જરૂરી છે. કેમકેે@પ્રેમ અનેવિશ્વાસ એ એક બીજાનાં પૂરક છે. જો પ્રેમ તૂટશે તો વિશ્વાસ તૂટશે અને વિશ્વાસ તૂટશે તો પ્રેમ તૂટશે.
જગતમાં આ બે છોડ એવા છે કે ક્યારેય કરમાતા નથી અને
જો એક વાર કરમાઈ જાય તો એ ફરી ક્યારેય ઉગતા નથી..
પ્રેમ અને વિશ્વાસનો સંબંધ સાગર અને સરિતા જેવો હોય છે. જેવી રીતે સરિતા સાગરમાં ભળી જઈ ને એકથઈ જાય છે એમ પ્રેમ અને વિશ્વાસ એક બીજામાં ભળીને એક થઈ જાય છે.જયાં સાચો પ્રેમ હોય છે ત્યા વિશ્વાસ આપોઆપ જ આવી જાય છે.
બહું ઓછા લોકોને આવા સાચા અને પવિત્ર પ્રેમનો અનુભવ થતો હોય છે. બહું ઓછા લોકોને આવો અલૌકીક સ્નેહ મળે છે. આવો સંબંધ એક એવો સંબંધ છે કે જેને આપણે ઇચ્છવા છતા તોડી શકતા નથી. જયારે ઋણાનુબંધ વાળી વ્યકિત શ્રેષ્ઠ સ્થાને હોય, પ્રેમી હોય અને જે આપણને યોગ્ય પંથ પર લઇ જઇને એ જ પંથ પર ટકાવી રાખનાર હોય ત્યારે માનવુ કે આપણો આ ભવ સફળ થઇ ગયો.
‘જીવનનું ખાતર નાખ્યા વિના પ્રેમનું વૃક્ષ મોટું થતુ નથી
‘ભૂલ તારી નહીં પરંતુ ‘ભૂલ' મારી છે એમ સમજવું એ જ સાચો પ્રેમ'.
માટે જે કહેવાયું છે કે જો જીવનમાં સાચા પ્રેમની એક ઝલક મળી જાય તો એ પ્રેમને દિલથી સ્વીકારી લેજો.... કેમ કે એ એહસાસ ફરી, એ ક્ષણ ફરી મળે કે ના મળે...
જો તમે કોઇનો વિશ્વાસ સાચવી શકતા નથી તો એ વિશ્વાસ તોડવાનો તમને કોઈ જ હક નથી...
ફરી કહું છું કે જો વિશ્વાસ છે તો પ્રેમ છે અને પ્રેમ છે તો અને તો જ વિશ્વાસ છે....