13 એપ્રિલ, 2018

જલિયાવાલા બાગ હત્યાકાંડ

જલિયાવાલા બાગ હત્યાકાંડ



           મિત્રો, આજથી ૯૮ વર્ષ પહેલાં ૧૯ એપ્રિલ ૧૯૧૯નો ગોઝારો દિવસ ભારતનાં ઇતિહાસમાં કાયમ માટે સોનેરી અક્ષરોએ અંકિત થઇ ગયો.    
           આ દિવસે પંજાબનાં અમ્રુતસર ખાતે આવેલાં જલિયાવાલા બાગમાં અંગ્રેજ જનરલ ડાયરે 'રોલેટ એક્ટ' નાં વિરોધમાં ભેગા થયેલા લોકો પર ૧૦ મિનિટમાં ૧૬૫૦ રાઉન્ડ ગોળીઓ ફાયર કરી કાળો કેર વર્તાવી દીધો હતો.  
        જલિયાવાલા બાગના મેદાન ત્રણ બાજુ મકાનોની મોટી દિવાલો હતી. માત્ર એક જ સાંકડો રસ્તો હતો જે જનરલ ડાયરે તેના ૯૦ સૈનિકોની ફોજથી રોકી લિધો હતો . આ મેદાનમાં વચ્ચે એક કુવો હતો. જેમાંં ગોળીઓના વરસાત વરસાદમાં ઘણાં લોકોએ કુદીને પોતાના જીવ આપી દીધા હતાં. બ્રિટિશ આંકડા અનુસાર    કુવામાંથી ૧૨૦ લાશો કાઢવામાં આવી હતી , તો ૩૦૦ માણસો મ્રુત્યુ પામ્યાં હતાં અને ૨૦૦ જેટલાં ઘાયલ થયાં હતાં જેમાં ૩૩૭  પુરૂષો, ૪૧ કિશોરો અને એક ૬ માસનાં બાળકનો સમાવેશ થાય છે, તો એક બાજુ જલિયાવાલા બાગમાં ૩૩૮ની યાદી છે , જ્યારે અમ્રુતસર ડેપ્યુટી કમિશનરનાં કાર્યાલયમાં ૪૮૪ શહિદોની યાદી છે.. તો અનાધિકારીક આંકડા પ્રામાણે ૨૦૦૦થી વધુ મ્રુત્યુ પામ્યાં હતાં તો ૩૦૦૦થી વધુ ઘાયલ થયાની વાત મળે છે.... વાત જે હોય એ પણ આ દિવસ ભારત દેશ માટે ગોઝારો સાબીત થયો..   
         અહીંં આપણે  જલિયાવાલા બાગનાં હત્યાકાંડની એક ડોક્યુમેંટ્રી ફિલ્મ મુકેલી છે...જે જોવા મારી આપશ્રીને નમ્ર વિંંનતિ છે.   

" જરા યાદ કરો કુરબાની......" જય હિંદ .....જય હિંદ......જય હિંદ..  
ભારતમાતા કી જય ....