17 જુલાઈ, 2018

" બારે ય મેઘ ખાંગા "

   
       અત્યારે આપણાં સમગ્ર ગુજરાત રાજ્યમાં અને દેશમાં ચોમાસાની ઋતુ પુરબહારમાં ખીલી ગઇ છે. ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં તો વરસાદની મહેર અત્યારે કહેર બની ગઇ છે , તો બીજીબાજુ ગુજરાતનાં અમુક ભાગમાં મધ્યમથી આંશિક વરસાદ પડ્યો છે. મૂળ આખા ગુજરાતમાં વરસાદની ઠંંડક આખા વાતાવરણમાં ફેલાઇ ગઇ છે. 

       આપણી ગુજરાતીમાં એક કહેવત છે કે, " બારે ય મેઘ ખાંગા "...... આ કહેવત શું છે ? કેમ આ કહેવત કહેવામાં આવે છે . આ કહેવતનો અર્થ શુંં છે ? દાયકાઓથી આ કહેવત ઘેર ઘેર ચોમાસામાં બોલાય છે . પણ આનો અર્થ શું થાય છે એ બહુ ઓછા લોકોને જ ખબર છે .

        આ કહેવતનો વિસ્તૃત અર્થ આપણને ગુજરાતી સાહિત્યમાં જોવા મળે છે. જેમાં બાર ( ૧૨ ) પ્રકારનાંં વરસાદનું વર્ણન કરવામાં આવ્યું છે જેમાં સામાન્યથી અતિ ભારે વરસાદનાં બાર ( ૧૨ ) પ્રકાર જણાવ્યાં છે. આપણે અહીં આ વરસાદનાં બાર ( ૧૨ ) પ્રકાર કયા છે તે જોઇએ.....
૧ )  ફરફર
૨) છાંટા
૩) ફોરા
૪) કરા
૫ ) પછેડિવા
૬ ) નેવાધાર
૭) મોલ મેહ
૮) અનરાધાર
૯) મૂશળધાર
૧૦) ઢેફાભાંગ
૧૧) પાણ મેહ
૧૨) હેલી

    આ બાર ( ૧૨ ) પ્રકારનાં મેઘ આપણને જોવા મળે છે. જેના કારણે  " બારે ય મેઘ ખાંગા "...... કહેવત પ્રચલિત થઇ છે