કવિ શ્રી ઉમાશંકર જોશીએ પોતાના વિશ્વશાંતિ કાવ્યસંગ્રહમાં લખ્યું છે કે....
પક્ષી મંદિર @saurabhkumarpatel.blogspot.com
વિશાળે જગ વિસ્તરે નથી એક જ માનવી ,
પશુ છે , પંખી છે, પુષ્પો વનોની છે વનસ્પતિ ...
આ ધરતી પર અનાદિકાળથી પશુ ,પક્ષીઓ સાથે મનુષ્યોનો અતુટ નાતો જોવા મળ્યો છે.અરે આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ તો દેવી-દેવતાઓનાં વાહન તરીકે આ પશુ ,પક્ષીઓ આલેખ્યાં છે.
આપણો ભારત દેશ એ સંતો-મહંતો અને મંદિરોનો દેશ કહેવાય છે.અહીં ઠેર-ઠેર દેવી-દેવતાઓના મંદિરો જોવા મળે છે. પણ શું તમે ક્યાંંય સાંભળ્યુંં છે કે પક્ષીઓનું પણ મંદિર હોય ? બહું ઓછા લોકોને આ વાતની ખબર છે કે આપણા ગુજરાતમાં એક પક્ષી મંદિર આવેલું છે કે જે માત્ર ગુજરાતનું નહીં, ભારતનું નહીં પણ પુરા વિશ્વનું એકમાત્ર પક્ષી મંદિર છે. જે આપણા સૌ માટે ગૌરવની વાત છે.
આ વાત છે સાબરકાંંઠા જિલ્લાના હિંમતનગરથી માત્ર ૧૫ કિ.મિ.ના અંતરે આવેલ રોડા ગામની છે. આ ગામનાં વડવાઓએ પક્ષીઓનો માણસો સાથેનો અતુટ નાતો જોઇને આ મંદિર બનાવ્યુંં છે એવું માનવામાં આવે છે. આ મંદિરમાં કોઇ મૂર્તિ નથી પણ આ મંદિરની દિવાલે-દિવાલે પક્ષીઓના ચિત્રો જોવા મળે છે. અહીં રોડા ગામે સાતમી સદીમાંં સાત મંદિરોનો સમુહ હતો.જેમાં ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની જેમ આ પક્ષીઓની પુજા થતી હતી .અહી હાલ પણ આજુબાજુનાંં ગામનાં લોકો ખુબ જ શ્રધ્ધાથી પુજા કરવાં આવે છે.
આ મંદિરની દીવાલોની કોતરણી અદભુત છે જે જોઇને એક સમય માટે આપણે પણ અચરજ પામી જઇએ બેનમુન કારીગરીનો આ નમુનો છે .
ખરેખર બહુ દુખની વાત કહેવાય કે આખા વિશ્વનુંં એકમાત્ર પક્ષી મંદિર હોવા છતાંં જો કોઇને આ મંદિરે જવું હોય તો નાકે દમ આવી જાય છે કેમ કે અહિં કોઇપણ જાતનું બોર્ડ લગાવેલ નથી કે કોઇ રોડ કે રસ્તાનો કોઇ ઉલ્લેખ કરેલ નથી.આ મંદિર વિષે કોઇપણ જાતની જાહેરાત કરવામાં નથી આવતી.ઘણી રજુઆતોને અંતે સરકારે રક્ષિત સ્મારક જાહેર કરી પુરતત્વખાતાનું બોર્ડ લગાવી સંતોષ માની લીધો છે.
ખરેખર આ મંદિરની મુલાકાત એકવાર અચુક લેવી જોઇએ.......
પક્ષી મંદિર @saurabhkumarpatel.blogspot.com