મિત્રો,
જામનગરમાં ગવર્મેન્ટ કોલોનીની પાછળના ભાગે એક મંદિર પાસેના સાત રસ્તાની નજીક ઝૂંપડપટ્ટી આવેલી છે, જ્યાંં દર રવિવારે સાંજે 5 થી 7 આ સન્ડે સ્કુલ ચાલે છે, આ સ્કૂલમાં ઝૂંપડપટ્ટીના બાળકોને ક, ખ, ગ, ઘ અને એકડા- બગડાનું શિક્ષણ ત્રણ નિવૃત શિક્ષક અને અને તેમનાંં વિદ્યાર્થીઓ કરે છે, શિક્ષણ પણ આપવા ખાતર નહીં પદ્ધતિસરનું અપાય છે.
અહીં સાત રસ્તા નજીક 25-30 જેટલા ઝુંપડા આવેલા છે, તેમાં રહેતા સ્ત્રી-પુરુષો બાળકોને સાથે લઈને ફુગ્ગા, રમકડાં અને પરચુરણ વસ્તુઓ રસ્તા પર વેચે છે. ક્યાંક ક્યાંક ભિક્ષા વૃત્તિથી ગુજરાન ચલાવે છે. ગરીબી હોય ત્યાં બદી અને ક્રાઇમ પણ હોવાનું જ. એટલે જ ઝૂંપડપટ્ટીના બાળકોને અક્ષર જ્ઞાન આપવું જરૂરી છે, એ નીતિથી ત્રણ નિવૃત શિક્ષકો અને તેમના વિધાર્થીઓ આ સન્ડે સ્કુલ ચલાવે છે.
સ્કુલ શરૂ થાય ત્યારે આ ભુલકાઓને 30-35 મિનિટ પ્રાર્થના કરાવાય છે, ત્યારબાદ કક્કો અને એકડા-બગડા શીખવાડાય છે તો શૈક્ષણીક રમતો રમાડાય છે તો નિવૃત આચાર્ય બારાખડી એવા સરસ રાગાત્મક ગાયન સાથે આરોહ-અવરોહ સાથે ગાઇને બાળકોને બોલાવે છે. આ ત્રણેય શિક્ષકો સ્વ ખર્ચે બાળકોને નાસ્તો, પાટીપેટી, પેન્સિલ, કંપાસ જેવી શૈક્ષણીક ભેંટ સોગાદ પણ આપે છે.
ધન્ય છે આવાં નિવૃત શિક્ષકોને .....